યુદ્ધઅભ્યાસ દરમિયાન મોટી દુર્ઘટના: લદ્દાખમાં ટેન્ક સાથે નદી પાર કરી રહેલા 5 જવાનો શહીદ, પુરના કારણે અચાનક પાણી વધતા સર્જાઈ દુર્ઘટના; રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુ:ખ વ્યક્ત કર્યું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_065515_Gujaratvandan-5-soldiers-sinks in river ladakh.webp)
- 29 Jun, 2024
પૂર્વ લદ્દાખમાં 5 સૈનિકો શહીદ થયા છે. આ સૈનિકો દૌલાટ બેગ ઓલડી વિસ્તારમાં ટેન્કો સાથે નદી પાર કરી રહ્યાં હતા, ત્યારે અચાનક જ નદીમાં પુરના કારણે પાણીનું સ્તર વધતા સૈનિકોના તણાઈ ગયા હતા. આ વિસ્તાર ચીનની લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલથી ખૂબ જ નજીક છે.
આ દુર્ઘટના અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા x પર લખ્યું છે કે લદ્દાખ ખાતે ટેન્ક લઈને નદી પાર કરવા જઈ રહેલા 5 જવાનોના મોતના સમાચારથી ખુબ જ દુ:ખ અનુભવું છું. આપણે આ જવાનોએ દેશ માટે વહોરેલી શહીદીને ક્યારેય ભૂલી ન શકીએ. હું આ દુ:ખના સમયમાં જવાનોના પરિવાર સાથે છું. આ સિવાય દેશ પણ આવા દુ:ખના સમયે તેમની સાથે જ છે.
સૈનિકો ન્યોમા-ચુસલે વિસ્તારમાં T-20 ટેન્ક લઈને યુદ્ધ અભ્યાસના ભાગે રૂપે નદી ઓળગી રહ્યાં હતા. જોકે નદીમાં અચાનક જ પાણી વધી જતા, ટેન્ક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલ સૈનિકોને શોધવા રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક જવાનની ભાળમળી છે.
આ દુર્ઘટના બની ત્યારે ટેન્કમાં 5 સૈનિકો હાજર હતા. તેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર(JCO) અને 4 જવાન હતા. અધિકારીઓએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક જવાનની ભાળ મળી છે. જ્યા રે અન્ય 4 જવાનની શોધખોળ ચાલી રહી છે.